આવકવેરાના કાયદા હેઠળ ખેતીની આવક પર નોંધ લખો કરવેરાની ખેતીવિષયક આવક વિશે આવકવેરા કાયદાની જોગવાઈઓની ચર્ચા કરો જવાબઃ ખેતીની આવક માત્ર દાણા કે અનાજની ખેતી કરવી તેવો મર્યાદિત અર્થ થતો નથી. તે અનાજ, શાકભાજી, ફળ-ફળાદિ, છોડ, ઘાસ, ચા, કૉફી, તંબાકુ, રૂ વગેરે હોઈ શકે. આ તમામ વસ્તુઓ જમાનમાંથી પેદા થાય છે અને તેનાં વેચાણમાંથી થતી આવક ખેતીની આવક ગણાય. નર્સરીનાં છોડમાંથી થયેલ આવક ખેતીની આવક ગણાય. પરંતુ પશુપાલન ઉછેર, મરઘાં ઉછેર, દહીં કે છાસના વેચાણમાંથી થતી આવક ખેતીની આવક ગણાતી નથી. ખેતીની આવક સંબંધમાં નોંધપાત્ર મુદ્દાઓ 1. જમીનમાંથી ભાડું અથવા મહેસૂલ ઉત્પન્ન થયેલું હોવું જોઈએ એટલે કે જમીન, ભાડું અથવા મહેસૂલનું તત્કાળ અને અસરકારક સ્રોત હોવું જોઈએ. દા. ત. કોઈ ખેતીની જમીનનો માલિક પોતાની ખેતીની જમીન અન્ય કોઈ વ્યક્તિને તેના તરફથી ચૂકવવામાં આવનાર વર્ષાસનના અવેજના બદલામાં હર્ષાંતર કરે, તો આ વર્ષાસનની રકમ ખેતીની આવક ગણાય નહીં, પરંતુ ખેતીની જમીનનો માલિક પોતાની જમીન ભાડાપટ્ટે આપે, તો ભાડાપટ્ટાની રકમ ખેતીની આવક ગણાય. 2. જમીન ભારતમાં આવેલી હોવી જોઈએ ખેતીની જમીનમાંથી થતી આવક ખેતીની આવક ગણાય તે માટે આ જમ...